ગઢપુર સ્‍વામિનારાયણ મંદિરના દરબારગઢમાં ૨૪ કલાક ધુનનું આયોજન

ભગવાન શ્રી હરિના સ્વમુખે પ્રગટ થયેલ ષડાક્ષર શ્રી સ્વામિનારાયણ મહામંત્રના પ્રાગટ્યને ૨૦૮ વર્ષ થતા પ.પુ.ધ.ધુ.૧૦૦૮ શ્રી આચાર્ય પ્રવર ધર્મકુળ મુગટમણી ધર્મમાર્તંડ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આશિર્વાદાત્મક આજ્ઞાથી શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠસ્થાન અંતર્ગત વડતાલ, ધોલેરા જુનાગઢ તેમજ દેશ-વિદેશમાં વસતા સમસ્ત ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ વતી શ્રી સ્વામિનારાયણ મંદિર(મુખ્ય)

દ્વારા વર્ષ ૨૦૦૯ - ૧૦ ને આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ તરીકે ઊજવીને આ દિવ્ય મહામંત્રના ૨૦૮ કરોડ મંત્રલેખનનું મહાભગીરથ કાર્ય તા.૨૩-૧૨-૨૦૦૮ માગશર વદ-૧૧ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ઊદ્ઘોષણા દિનના શુભ દિવસે શ્રી હરિકૃષ્ણમહારાજ શ્રી લક્ષ્મીનારાયણદેવની છત્રછાયામાં વડતાલ રધુવીરવાડીમાં પ.પૂ.૧૦૮ ભાવિઆચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજીમહારાજની નિશ્રામાં ભવ્યાતી ભવ્ય રીતે પ્રારંભ થયો જેને ૧ વર્ષ થતા ગઢપુરમાં ૨૪ કલાક અખંડ ધુન તા ૧૨-૧૨-૨૦૦૯ ના રોજ દાદાખાચરના દરબારગઢમાં રાખવામાં આવી હતી.

         આજથી શરૂ થતા મહામંત્રના ૨૦૯ માં વર્ષમાં ૧૫૭ કરોડ મંત્ર લેખન થશે કુલ ૩૬૫ કરોડ મંત્ર લખાશે જેનો દિવ્ય મહા મહોત્સવ તા.૨૩-૧૨-થી ૨૯-૧૨-૨૦૧૦ માં ગઢપુરમાં ભવ્યતાથી ઊજવાશે આ મહોત્સવમાં સહભાગી બની કૃતાર્થ થવા સારાએ સત્સંગ સમાજને ભાવભીનું આમંત્રણ છે.

   

|    મહત્‍વની વેબસાઇટ    |

|    ગઢડા મંદિર સંચાલિત વેબસાઇટ    |

 
Live Darshan Visitor
    Website Visitors :