|
ગામ નાગનેશ જી.સુરેન્દ્રનગર માં શ્રી કરશનભાઇ ફુલાભાઇ
બદ્રેશીયા અને અ.નિ.અમૃતબેન કરશનભાઇ તથા સમસ્ત પિતૃઓના
મોક્ષાર્થે શ્રી છગનભાઇ કરશનભાઇ દ્વારા સવંત ૨૦૬૬ ના મહા
સુદ-૯ થી ૧૫ તા.૨૪-૧-૨૦૧૦ રવિવાર થી ૩૦-૧-૨૦૧૦ શનિવાર
સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન
કરવામાં આવેલ જેમા ગઢપુરના નવયુવાન સંત
શા.સ્વા.છપૈયાપ્રકાશદાસજીએ વકતાપદે બિરાજી સંગીતના કલરવ
સાથે ભકતોને ભકિતમય કર્યા હતા.આ પ્રસંગે ગઢપુર મંદિરના
કો.શા.સ્વા.ઘનશ્યામવલ્લભ દાસજીએ પધારી આશિર્વાદ પાઠવ્યા
હતા.શા.કે.પી.સ્વામી દ્વારા સભાસંચાલન અને
સ્વા.ત્યાગસ્વરૂપદાસજીએ સંહિતાપાઠનું વાંચન કર્યુ હતુ. |