-
પોતાને માટે સુખ ઇચ્છવાથી નાશવંત સુખ મળે છે. અને
બીજાઓને સુખ પહોંચાડવાથી અવિનાશી સુખ મળે છે.
-
નાશવંત સુખનો સર્વથા ત્યાગ કરવાથી અવિનાશી સુખની
પ્રાપ્તિ થઇ જાય છે.
-
સુખ ભોગવાનાને માટે સ્વર્ગ અને દુઃખ ભોગવવા માટે નરક છે
અને સુખદુઃખ બન્નેથી ઉપર ઊઠીને મહાન આનંદ પ્રાપ્ત
કરવાને માટે આ મનુષ્યલોક છે.
-
સંસારના સંબંધ વિચ્છેદથી જે સુખ ભળે છે,
તે સંસારના સંબંધથી કદી મળી શકતુ જ નથી.
-
જયાં સુધી નાશવંતનું સુખ લેતા રહેશો ત્યાં સુધી અવિનાશી
સુખી પ્રાપ્તિ થશે નહિ.
-
સારાપણાંનું અભિમાન બૂરાઇની જડ છે.
-
સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરવાથી સાધુતા આવે છે.
-
પોતાની બુદ્ધિનું અભિમાન જ શાસ્ત્રોની સંતોની વાતોને
અંતઃકરણમાં ટકવા દેતું નથી.
-
વર્ણ આશ્રમ વગેરેની જે વિશેષતા છે તે બીજા ઓની સેવા
કરવાને માટે છે. અભિમાન કરવાને માટે નથી.
-
તમે તમારા સારાપણાનું જેટલુ અભિમાન કરશો તેટલી જ બૂરાઇ
પેદા થશે. તે માટે સારા બનો પણ સારાપણાનું અભિમાન નહીં
કરો.
-
જ્ઞાન મુકત કરે છે,
પણ જ્ઞાનનું અભિમાન નરકોમાં લઇ જાય છે.
-
સાંસારિક વસ્તુ મળવાથી તો અભિમાન આવી શકે છે,
પણ ભગવાન મળવાથી અભિમાન આવી શકતું જ નથી,
પણ અભિમાનનો સર્વથા નાશ થઇ જાય છે.
-
સ્વાર્થ અને અભિમાનનો તગાય કર્યા વિના મુનષ્ય શ્રેષ્ઠ
બની શકતો નથી.
-
જયાં જાતિનું અભિમાન હોય છે,
ત્યાં ભકિત થવી ઘણી કઠણ છે કારણ કે ભકિત સ્વયંથી થાય
છે. શરીરથી નહીં. પરંતુ જાતિ શરીરની હોય છે,
સ્વયંની નહી.
-
જયાં સુધી સ્વર્થ અને અભિમાન છે,
ત્યાં સુધી કોઇની પણ સાથે પ્રેમ થઇ શકતો નથી.
-
જેને માટે મનુષ્ય-જન્મ મળ્યો છે. તે મરમાત્મા
પ્રપ્તીનો જ ઉદ્દેશ્ય થઇ જવાની મનુષ્યને સાંસારિક
સિધ્ધિ-અસિધ્ધિ તકલીફ આપી શકતી નથી.
-
જેમ રોગીનો ઉદ્દેશ નિરોગી થવાનો છે. તે રીતે જ મનુષ્યનો
ઉદ્દેશ પોતાનું કલ્યાણ કરવાનો છે. સાંસારિક
સિદ્ધિ-અસિદ્ધિને મહત્વ નહી આપવાથી અર્થાત તેમા સમ
રહેવાથી ઉદ્દેશ્યની સિદ્ધિ થાય છે.
-
જયારે સાધકનો એકમાત્ર ઉદ્દેશ્ય પરમાત્મા-પ્રાપ્તિનો થઇ
જાય છે ત્યારે તેની પાસે જે પણ સામગ્રી (વસ્તુ,
પરિસ્થિતી વગેરે) હોય છે તે બધી સાધનપ (સાધન-સામગ્રી) થઇ
જાય
છે.
-
એક પરમાત્મા-પ્રાપ્તિનો દ્દૃઢ ઉદ્દેશ્ય હોવાથી
અંતઃકરણની જેટલી જલદી અને જેવી શુદ્ધિ થાય છે, તેટલી
જલ્દી અને તેવી શુદ્ધિ અન્ય કોઇ અનુષ્ઠાનથી થતી નથી.
-
ઇન્દ્રિયો દ્વારા ભોગ તો પશુ પણ ભોગવે છે, પણ તે ભોગોને
ભોગવવા એ મનુષ્ય-જીવનને ઉદ્દેશ્યની ખાસ જરુરીયાત છે.
જો પોતાના કલ્યાણનો ઉદ્દેશ્ય જ દ્દૃઢ નહીં હોય તો
સાધકની સિદ્ધિ કેવી રીતે મળશે.
-
એક પરમાત્મા-પ્રપ્તિનો ઉદ્દેશ્ય હોવાથી પણ કોઇ પણ સાધન
નાનુ-મોટું હોતું નથી.
-
જે વસ્તુ પરિસ્થિતિ વગેરે હાલમાં નથી. તેને પ્રાપ્ત
કરવામાં પોતાની સફળતા યા ચતુરાઇ માનવી મહાન ભૂલ છે. જે
વસ્તુ હાલમાં નથી અને તે મળ્યા પછી પણ હંમેશાં રહેશે
નહીં. આ નિયમ છે. અને જે હંમેશાં રહેશે. એવી વસ્તુ
(પરમાત્મતત્વ)ને પ્રાપ્ત કરવામાં જ વાસ્તવિક, સફળતા
યા ચતુરાઇ છે.
-
પારમાર્થિક ઉન્નતિ કરવાવાળાની બૌધિક ઉન્નતિ આપોઆપ થાય
છે.
-
વિચાર કરો-આપણે આપણી જાણકારીનો જાતે જ અનાદર કરીશું તો
પછી આપણી ઉન્નતી કેવી રીતે થશે. ?
-
વાસ્તવિક ઉન્નતી છે - સ્વભાવ શુદ્ધ થવો.
-
સાંસારિક ઉન્નતી વર્તમાન વસ્તુ નથી અને પારમાર્થિક
ઉન્નતી ભવિષ્યની વસ્તુ નથી.
-
જે આરામ ચાહે છે. તે પોતાની વાસ્તવીક ઉન્નતી કરી શકતો
નથી.
-
શરીર-ઇન્દ્રિયો-મન-બુદ્ધિ સાથે આપણો સંબંધ ન રાખવો તે જ
સાચુ એકાંત છે.
-
મનુષ્ય પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યનું પાલન
કરી શકે છે. કર્તવ્યનું અથાર્થ સ્વરુપ છે - સેવા.
અર્થાત સ્વરુપ છે - સેવા અર્થાત સંસારથી મળેલા શરીર
વગેરે પદાર્થોને સંસારના હિતમાં લગાડવાં.
-
પોતાનાં કર્તવ્યનું પાલન કરવાવાળા મનુષ્યના ચિત્તમાં
સ્વાભાવિક પ્રસંન્નતા રહે છે. આનાથી વિપરીત પોતાના
કર્તવ્યનું પાલન ન કરવામાં મનુષ્યના ચિત્તમાં
સ્વામાવિક ખિન્નતા રહે છે.
-
સાધક આસકિતર હિત ત્યારે થઇ શકે છે. જયારે તે શરીર
ઇન્દ્રિયો-મન-બુદ્ધિને
“મારા”
અથવા
“મારા
માટે”
નહી માનીને. માત્ર સંસારના અને સંસારને માટેજ માનીને
સંસારના હિતને માટે તત્પરતા પૂર્વક કર્તવ્ય-કર્મનું
આચરણ કરવામાં લાગી જાય.